ઘણીવાર કોઈ કારણસર મીઠામાં પેજ લાગી જતો હોય છે મીઠામાં પેજ લાગવા અને કારણે એને ફેંકવાનો વારો આવે છે પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઈએ કે તમારે પણ મીઠાના ભેજ લાગી જતો હોય તો તમે ચોખાના થોડા દાણા અંદર મૂકી દો આમ કરવાથી મીઠામાં ભેજ લાગશે નહીં અને તમારો મીઠું ભેજ રહિત સુરક્ષિત રહેશે.
નાના નખને કારણે અનેક વાર લસણ ફોલવામાં તકલીફ થાય છે એવામાં તમે લસણની કળીઓને ગરમ પાણીમાં નાખો અને બે મિનિટ સુધી રહીને બહાર કાઢી લો આમ કરવાથી લસણ જલ્દીથી બોલાઈ જશે.
સૂકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે.
શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નારિયેળ ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બને છે.
બહારગામ જતી વખતે ફ્રીજ બંધ કરતાં પહેલાં તેમાં છાપાના ટુકડા ના મોટા મોટા ગોળો બનાવી ફ્રીજમાં મુકવા અને તેના પર ટેલકમ પાવડર છાંટવો જેથી ફ્રીજમાં દુર્ગંધ આવશે નહીં અને જીવાત પણ થશે નહિ.
ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરામાં એક લીંબુનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું બળશે અને ભજીયા નો સ્વાદ પણ સારો આવશે.
પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટમાં ૧:૫ પ્રમાણમાં સોયાબીનના દાણા ઉમેરવાથી રોટલી એકદમ પૌષ્ટિક અને પાતળી બનશે.